મોરબી : કલ્યાણપુર ગામમાં પુરમાં ફસાયેલા લોકો માટે પોલીસ બની દેવદુત

New Update
મોરબી : કલ્યાણપુર ગામમાં પુરમાં ફસાયેલા લોકો માટે પોલીસ બની દેવદુત

ટંકારાના કલ્યાણપુર ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે રેસ્ક્યૂ કર્યા છે. પોલીસ તરવૈયા સાથે રેસ્ક્યૂમાં જોડાઈ અને દિલધડક ઑપરેશન કર્યુ હતું. પોલીસના જવાને ખભ્ભા પર બાળકોને લઈને પાણીના ધસમસતા વહેણમાં બાળકોને બચાવ્યા હતા. પ્રાપ્ત અહેવાલો મુજબ ટંકારાના કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. દરમિયાન ગામના લોકોને બચાવા માટે થયેલા રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ ગઈ હતી અને ગ્રામજનોને મોતના મુખમાંથી બચાવ્યા હતા.

રેસ્ક્યૂ કરતા પોલીસનો વીડિયો વાયરલ થયો છે. કોન્સ્ટેબલ પૃથ્થવીરાજસિંહ જાડેજાએ સ્થાનિક તરવૈયાની મદદથી બાળકોને બચાવ્યા હતા. સવારથી મોરબી જિલ્લામાં મેઘમહેર જામી છે. જિલ્લા પોલીસે અત્યંત સરાહનીય ભૂમિકા ભજવતા કલ્યાણપુર વિસ્તારમાં 43 લોકો ફસાયા હતા તેમાં જિલ્લા પોલીસ વડા ડૉ.કરણરાજ વાઘેલાના નેજા હેઠળ રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ હતી.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.