સુરત : શ્રી માધવ ગૌશાળામાં યોજાયેલ રક્તદાન શિબિરમાં 300 યુનિટ રક્ત એકત્રિત કરાયું...

ગૌસેવકો દ્વારા તમામ રક્તદાતાઓનું ગૌશાળા ખાતે તિલક કરી સ્વાગત કરાયું હતું. આ સાથે જ રક્તદાતાઓના હસ્તે ગૌમાતાનું પૂંજન પણ કરવામાં આવ્યું હતું.

New Update

સુરત શહેરના ઉધના-બમરોલી રોડ વિસ્તારમાં આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦થી વધુ યુવકોએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સાંસ્કૃતિક રક્ષા સમિતિના સંસ્થાપક આશિષ સુર્યવંશીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના વહાણ નંદી મહારાજના સાનિધ્યમાં શ્રી માધવ ગૌશાળા ખાતે યુવાઓ અને મહિલાઓએ 300 યુનિટ રક્તદાન કરી પુણ્યપ્રાપ્તિ કરી છે. ગૌસેવકો દ્વારા તમામ રક્તદાતાઓનું ગૌશાળા ખાતે તિલક કરી સ્વાગત કરાયું હતું. આ સાથે જ રક્તદાતાઓના હસ્તે ગૌમાતાનું પૂંજન પણ કરવામાં આવ્યું હતું. ગૌશાળાના ગૌસેવકો તથા અન્ય સંસ્થાના સાથી મિત્રો દ્વારા 300 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.


તમામ રાજકીય અને સામાજીક સંસ્થાના આગેવાનો રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૌસેવકો અને સંસ્થાના યુવાનોએ સંકલ્પ લીધો હતો કે, હવે પછીની રક્તદાન શિબિરમાં એકત્રિત કરાયેલા 300 યુનિટ રક્તમાં બમણો આંકડો પાર કરીશું.

Read the Next Article

સુરત : પ્લેન ક્રેશ અંગે એવિયેશન એક્સપર્ટ દ્વારા વિમાનના ડેમો સાથે અકસ્માતની સંભાવના કરાઈ વ્યક્ત

અમદાવાદ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ અકસ્માત અંગે જુદા જુદા તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુરતમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો

  • એવિયેશન એક્સપર્ટ દ્વારા આપવામાં આવી માહિતી

  • પ્લેન ક્રેશ અંગે વિવિધ શક્યતા કરાઈ વ્યક્ત 

  • વિમાનના ડેમો સાથે આપી માહિતી

  • કોકપીટ અંગે પણ આપી મહત્વપૂર્ણ માહિતી

સુરતના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ અંગેની સંભાવનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.અને વિમાનના ડેમો સાથે અકસ્માત અંગેની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

અમદાવાદ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ અકસ્માત અંગે જુદા જુદા તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.ત્યારે સુરતમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના એવિયેશન એક્સપર્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિમાનના ડેમો સાથે ઘટના કેવી રીતે સર્જાય હોવા અંગેની માહિતી આપવામાં આવી હતી. અને જુદી જુદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.જેમાં ફ્યુલ સપ્લાય,પ્લેનમાં પાવર સપ્લાય બંધ થયા હોવાની શકયતાઓને વ્યક્ત કરવામાં આવી હતી,આ ઉપરાંત પાયલોટના કોકપીટ ફંક્શન અંગેની માહિતી સાથે કોકપીટ સમજાવતો ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો.

Latest Stories