સુરત: હીરાના વેપારીએ રૂ.600 કરોડના હીરાના ગણપતિની સ્થાપના કરી

New Update

આજે ગણેશ ચતુર્થીનો પાવન અવસર છે. જેથી રાજ્યભરમાં શ્રદ્ધાળુંઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો ગણેશજીની પ્રતિમાં કઈક રીતે બનાવાનો શોખ રાખતા હોય છે. ત્યારે આપને જાણીને નવાઈ લાગશે કે સુરતમાં 600 કરોડના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જે પ્રતિમાને જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. આ પ્રતિમાની ખાસિયત છે કે આખી પ્રતિમાં અસલી ડાયમંડની બનાવામાં આવી છે.

વિશ્વમાં આ એકમાત્ર એવી પ્રતિમાં હશે જે આખી હિરાથી ઘડવામાં આવી છે. આ પ્રતિમાંની સ્થાપના સુરતમાં રહેતા હિરાના વેપારી કનું આસોદરિયા દ્વારા કરવામાં આવી છે. મૂર્તિમાં જે હિરા લાગેલા છે તે 182.53 કેરેટના હોવાનું સામે આવ્યું છે. સાથે માત્રા ડાયમંડજ નહી પરંતુ મોતીથીની ઘડામણથી પણ આ પ્રતિમાં બનાવામાં આવી છે. એટલું ચોક્કસથી કહી શકાય કે આ પ્રતિમાં અત્યાર સુધીની સૌથી મોંધી પ્રતિમા છે.


જેમા ખાસ કરીને ભક્તો આતુરતાથી આ પ્રતિમાને જોવા માગી રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે હીરાના વેપારી કનુ સિસોદયાને 20 વર્ષ પહેલા ગણેશ આકારનો હિરો મળ્યો હતો. જેમાં ગણેશજીની કુદરતી પ્રતિકૃતિ જોવા મળી હતી. તેમના હાથમાં ગણેશજીના આકારનો ડાયમંડ લાગતા તેમણે તે વખતે ધન્યતા અનુભવી હતી. 

Read the Next Article

સુરત : યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવતમાં દિન’દહાડે માતાનું અપહરણ કરનાર 7 લોકોની ધરપકડ, પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન

એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતેથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું...

New Update
  • શહેરના પાલ વિસ્તારમાંથી સામે છે આવી ચોંકાવનારી ઘટના

  • પુત્રના પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું

  • હોસ્પિટલ નજીકથી 25 શખસ ખેંચી ગયા, CCTV સામે આવ્યા

  • 7 લોકોની ધરપકડરિ-કન્સ્ટ્રક્શન સમયે આરોપી રડી પડ્યો

  • યુવક-યુવતીના કોર્ટ મેરેજની અદાવત બની અપહરણનું કારણ 

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પુત્રના પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું હતું. CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

સુરત શહેરના પાલ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું હતું. ગત તા. 10 જૂન-2025ના રોજ સવારે આશરે 11:30 કલાકે પાલ ગૌરવ પથ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપહરણની ઘટના બની હતી. સુમિત્રા રાયાણીજે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છેતેમનું અંદાજે 25 જેટલા પુરુષો અને મહિલાઓની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું.

જોકેસામે આવેલા CCTV ફૂટેજમાં જોવા મળે છે કેઆ ટોળકી હોસ્પિટલ પરિસરમાં ધસી આવી હતી. તેમણે સુમિત્રા રાયાણીને ધક્કામુક્કી કરીનેશારીરિક હુમલો કરીને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડી દીધા અને રાંદેર તરફ લઈ ગયા હતા. રાંદેર પહોંચ્યા બાદ જાહેરમાં સુમિત્રા રાયાણીને ખૂબ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ અને કોર્ટ મેરેજ હોવાનું બહાર આવ્યું છે. રાંદેર રોડ પરની હેતલ નગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ મુજબતેમની બહેન સુમિત્રા રાયાણીના દીકરા અનિકેત ગત 1 જૂન2024ના રોજ અંબિકા નગરમાં રહેતી નૈના જગદીશ ઓડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ ગત તા. 28 મે-2025ના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતાઅને સાથે રહેવા માટે નિવેદનો નોંધાવ્યા હતા.

આ વાતની અદાવત રાખીને નૈનાના પરિવારે આ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફઅપહરણ કરનાર 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જે મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છેજ્યારે અન્ય ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.