સુરત: બિલકીસ બાનુ કેસના આરોપીઓને છોડી મુકવાના નિર્ણયનો વિરોધ,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

સુરતમાં ઇન્સાફ સંગઠન દ્વારા યોજાયુ વિરોધ પ્રદર્શન, બિલકિસ બાનુ કેસના આરોપીને છોડી મૂકવાના નિર્ણયનો વિરોધ

New Update
સુરત: બિલકીસ બાનુ કેસના આરોપીઓને છોડી મુકવાના નિર્ણયનો વિરોધ,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસે આઝાદીના અમૃત મહોત્સવ પર રાજય સરકારે બિલકીસ બાનુ કેસમાં 12 આરોપીઓને છોડી મૂકવા મામલે ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા સરકારના નિર્ણય પર ફેર વિચારણા કરી હુકમ પરત ખેંચવા સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

બિલ્કીસ બાનુ પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરનાર આરોપીને છોડી મુકવા મામલે સુરતમાં ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સરકારના આ નિણર્યને ખુબ જ આઘાતજનક ગણાવી આ નિણર્ય અંગે ફેર વિચારણા કરી હુકમ પરત ખેચવા માંગ કરવામાં આવી હતી ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના દિવસે આપણા વડાપ્રધાન જયારે મહિલા સુરક્ષા અને મહિલા સન્માનની વાતો કરતા હોય ત્યારે તેમના પોતાના ગુજરાત રાજ્યમાં તેમની જ સરકાર દ્વારા સગર્ભા મહિલા સાથે ગેંગરેપ કેસના ગુનેગારોને માફી આપી છોડી મુકવાનો નીર્ણય લેવામાં આવે તે વધુ આઘાત જનક છે. આ નિણર્ય મામલે કેન્દ્ર સરકાર દરમ્યાનગીરી કરી આ માફીનો નિણર્ય પરત ખેચવાનો હુકમ કરે એવી માંગ કરવામાં આવી છે

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.