ભરૂચ: નર્મદા નદીમાં બે અલગ અલગ સ્થળેથી યુવાન અને આધેડનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી

અંદાડા ગામમાં રહેતા 28 વર્ષીય યુવકે અને અન્ય એક 50 વર્ષીય આધેડે નર્મદા નદીમાં જંપલાવી જીવન ટૂંકાવ્યું

New Update

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં રહેતા 28 વર્ષીય સંતોષ મીઠા મકવાણા કોઈ કારણોસર તારીખ,28/04/2022 ના રોજ ઘરેથી રાત્રીના સમયે ગુમ થયો હતો જો કે રાત્રિના સમયે યુવાને પરિવારજનોનેવ કોલ કરી જણાવ્યુ હતું કે તે નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરે છે અને ત્યારબાદ ફોન કટ કરી દીધો હતો. આ શબ્દો સાંભળતા પરિવારજનો નર્મદા મૈયા બ્રિજ પર દોડી આવ્યા હતા અને શોધખોળ શારિ કરી હતી જો કે બાદમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો

Advertisment

તો અન્ય એક બનાવમાં નર્મદા મૈયા બ્રિજ પરથી એક 50 વર્ષીય વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હોવાની માહિતી ભરૂચ અને અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને નર્મદા નદીમાં શોધખોળ શરૂ કરી જેમનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેની ટીમ દ્વારા શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવેલ હોઈ પરિવારજનોએ અંકલેશ્વર નગર પાલિકાના ફાયર ફાઈટરો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો ભીની આંખે આભાર માન્યો હતો 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment