જુનાગઢ : ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1715 ખેડૂતોનું રજીસ્ટ્રેશન, ફક્ત 10 ખેડૂતોને જ આવ્યો SMS

જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 33 હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,

New Update

રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ જુનાગઢમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો પ્રથમ દિવસે જ ઉદાસીનતા દાખવતા હોવાનું સામે આવ્યું છે.

Advertisment

જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 33 હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછું છે. આજે મગફળી ખરીદીના પ્રથમ દિવસે જુનાગઢ તાલુકામાં 1715 ખેડૂતોના થયેલ રજીસ્ટ્રેશનમાંથી 10 ખેડૂતોને SMS કરી મગફળી ખરીદી માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ બપોર સુધી એક પણ ખેડૂત મગફળી વેચવા માટે આવ્યા નહોતા. જેનું મુખ્ય કારણ એ છે કે, મગફળી ખરીદી કેન્દ્ર જુનાગઢ શહેરથી 10 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત અન્ય બજારમાં મગફળીના ખેડૂતોને સારા ભાવ મળતા હોય છે. જેથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા નીરસતા દાખવી રહ્યા છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment
Latest Stories