થાનગઢના ખાખરાળી ગામે આરોગ્ય વિભાગના મકાનનો અભાવ, કર્મીઓ સગર્ભાઓ-બાળકોને વૃક્ષ નીચે રસી આપવા મજબૂર

થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં આંગણવાડીના મહિલા સુપરવાઇઝરે મકાન ખાલી કરાવતાં કર્મીઓને ઝાડ નીચે બેસવું પડતું હોય છે.

New Update

થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં આંગણવાડીના મહિલા સુપરવાઇઝરે મકાન ખાલી કરાવતાં કર્મીઓને ઝાડ નીચે બેસવું પડતું હોય છે. 1700ની વસ્તી ધરાવતા ગામના આરોગ્ય વિભાગનું કામ આંગણવાડીના મકાનમાં ચાલતું હતું.

થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં મકાનના અભાવે સગર્ભા અને બાળકોને ખુલ્લામાં ઝાડ નીચે રસી આપવી પડી હતી. આરોગ્ય વિભાગને આંગણવાડીના મકાનમાં જગ્યા અપાઈ હતી, પરંતુ આંગણવાડીના નવા આવેલા મહિલા સુપરવાઇઝરે જગ્યા ખાલી કરવાની જીદ પકડતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને ઝાડ નીચે રસી આપવી પડી હતી.ગામમાં આરોગ્ય ખાતાનું કામ ઘણા સમયથી આંગણવાડીના મકાનમાં ચાલતું હતું. આંગણવાડીના સુપરવાઇઝરે આરોગ્ય વિભાગને મકાન ખાલી કરવાનો હુકમ કર્યો હતો. આથી આરોગ્ય ખાતાના સ્ટાફે ખુલ્લી જગ્યામાં લીંબડાના ઝાડ નીચે સગર્ભાઓ અને બાળકોને રસી આપવાનું કામ કરવું પડ્યું હતું.

આ અંગે તાલુકા ઑફિસર સુનિલકુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે અમે ગામના સરપંચ સાથે વાત કરીશું. આ અંગે ગામના સરપંચ દેવજીભાઈ સેટાણિયાએ જણાવ્યું કે અમે આરોગ્ય ખાતાને ગામના હિત માટે 12 મહિના પહેલાં તાત્કાલીક જમીન આપી હતી. હવે આરોગ્ય ખાતાએ બાંધકામ કરાવવાનું રહે છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA દ્વારા એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, 

New Update
a

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.

આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છેઆ ઘટનાને કારણે ગુજરાત ઉપરાંત દેશભરમાં શોકનો માહોલ છે. આ પ્લેઈન બોઇંગનું 787-8 ડ્રીમ લાઈનર હતુંઆ પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ થઇ રહી છે. એક વ્હિસલ બ્લોઅરે દાવો કર્યો હતો કે બોઇંગ 787-8ની ડીઝાઈનમાં મોટી ખામીઓ હતી. એવામાં અહેવાલો છે કે ભારત સરકાર દેશના તમામ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેફ્ટી ચેક કરવામાં માટે તમામ બોઇંગ 787-8ને ગ્રાઉન્ડેડ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારત અને યુએસ એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ,દુર્ઘટનાની તપાસના આધારે નિર્ણય લેવામાં આવશે.

Latest Stories