Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજના દલપુર પાસે ડમ્પર ચાલકે બાળકને ટક્કર મારતા બાળકનુ ઘટના સ્થળે મોત, ગ્રામજનો દ્રારા હાઈવે બ્લોક કરાયો....

સાબરકાંઠા : પ્રાંતિજના દલપુર પાસે ડમ્પર ચાલકે બાળકને ટક્કર મારતા બાળકનુ ઘટના સ્થળે મોત, ગ્રામજનો દ્રારા હાઈવે બ્લોક કરાયો....
X

સાબરકાંઠાના પ્રાંતિજના દલપુર પાસે આવેલ આશીર્વાદ હોટલ સામે સર્વિસ રોડ ઉપર રોડની સાઇડમા બે બહેનો સાથે ઉભેલ બાળક રણવીર સિંહ પ્રકાશજી ચૌહાણ આશરે ઉ.વર્ષ-૧૦ ને ઓવરલોડ માટી ભરેલ ટ્રક નંબર GJ-O9 AU-7488 નો ચાલક અડફેટે લેતા બાળકના માથાના ભાગે ટ્રકનુ ટાયર ફરી વળતાં બાળકની ખોપરી ફુટી ગઈ હતી અને તેનુ ધટના સ્થળે જ મોત નિપજયુ હતુ. અકસ્માતને લઈને સમાજના લોકો તથા સગાસંબધીઓ દોડી આવ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો. અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને મળતા તાત્કાલિક દોડી આવી હતી અને હિંમતનગર એ ડીવીઝન તથા બી ડીવીઝન, એસઓજી , એલસીબી સહિત પોલીસ સ્ટાફ પણ ધટના સ્થળે દોડી આવ્યો હતો, તો મૃતક બાળકને પોલીસ દ્રારા પીએમ અર્થે ખસેડવા જતા તેની લાશને ઉઠાવવા દીધી ન હતી અને અને પરિવાર સહિત સગાસંબધીઓ સમાજના લોકો રસ્તા વચ્ચે બેસી ગયા હતા અને ટ્રક ડ્રાઈવરને પકડી લાવવાની જીદ પકડી હતી તો આખરે પોલીસ દ્રારા સમજાવટ બાદ બાળકની લાશને પીએમ અર્થે મોકલી હતી. બાળક રણવીર સિંહના મોતને લઈને પરિવાર અને સગાસંબધીઓ સહિત ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો

Next Story