કેન્દ્ર સરકાર આગામી સપ્તાહમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આપી શકે છે રાહત

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત થી કેન્દ્ર સરકાર પણ ઘણી ચિંતિત છે. આ જ કારણ છે કે તેલની કિંમતોને લઈને કેન્દ્ર રાજ્ય સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યું છે.

author-image
By Connect Gujarat
New Update

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત થી કેન્દ્ર સરકાર પણ ઘણી ચિંતિત છે. આ જ કારણ છે કે તેલની કિંમતોને લઈને કેન્દ્ર રાજ્ય સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યું છે. આ દરમિયાન એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય માણસને રાહત આપવાનું વિચારી રહી છે.કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં લોકોને પેટ્રોલ તથા ડીઝલ માં જે અસહ્ય ભાવ વધારા માંથી રાહત આપવા પગલાં ભરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને નાણાં મંત્રાલય પેટ્રોલ તથા ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી માં ઘટાડો કરવાની દિશામાં વિચારણા કરી રહ્યા છે.

ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી માં ઘટાડો કર્યો હતો. તે સમયે પેટ્રોલ પર પ્રતિ લીટર પાંચ અને ડીઝલ પર રૂપિયા 10 ઘટાડો કર્યો હતો. નાણાં મંત્રાલયે ગયા વર્ષે લોકસભામાં પેટ્રોલ તથા ડીઝલ પર કેટલા પ્રમાણમાં એક્સાઈઝ ડ્યુટી સરકાર દ્વારા વસુલવામાં આવે છે તે અંગે માહિતી આપી હતી.ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 11 એપ્રિલના રોજ સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. અલબત 22 માર્ચથી છઠ્ઠી એપ્રિલ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટર દીઠ રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો હતો. આ સંજોગોમાં સરકાર એક્સાઈઝ ડ્યુટી માં યોગ્ય પ્રમાણમાં ઘટાડો કરવા અંગેનો નિર્ણય કરી શકે છે.11 એપ્રિલ સતત પાંચમા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, 22 માર્ચથી 6 એપ્રિલ ની વચ્ચે, પેટ્રોલ ડીઝલની કિંમતમાં ચોક્કસપણે 10 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો છે.

Read the Next Article

પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાત કરી, તાત્કાલિક મદદ પૂરી પાડવા સૂચનાઓ આપી

પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે. આ દરમિયાન મંત્રી નાયડુએ પીએમ મોદીને અકસ્માત અંગે માહિતી આપી હતી. આ સાથે, મંત્રી રામ મોહન નાયડુ પોતે અકસ્માતનું નિરીક્ષણ કરવા અમદાવાદ જઈ રહ્યા છે

New Update
PM Modi Plane Crash

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન, પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે. આ દરમિયાન મંત્રી નાયડુએ પીએમ મોદીને અકસ્માત અંગે માહિતી આપી હતી. આ સાથે, મંત્રી રામ મોહન નાયડુ પોતે અકસ્માતનું નિરીક્ષણ કરવા અમદાવાદ જઈ રહ્યા છે. તે જ સમયે, અકસ્માતની માહિતી મળ્યા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે. તેમણે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની ઘટનાનો તાગ મેળવ્યો. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પીએમ મોદીને જણાવ્યું હતું કે તેઓ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા અમદાવાદ જઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ મંત્રીને તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. તેમણે મંત્રી નાયડુને પરિસ્થિતિ વિશે નિયમિતપણે માહિતી આપવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે બધી સંબંધિત એજન્સીઓ હાઇ એલર્ટ પર છે અને સંકલિત પ્રયાસો ચાલી રહ્યા છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અકસ્માત અંગે ટ્વિટર પર પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, "અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે જાણીને મને આઘાત લાગ્યો છે. અમે ઉચ્ચતમ ચેતવણી પર છીએ. હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને તમામ ઉડ્ડયન અને કટોકટી પ્રતિભાવ એજન્સીઓને તાત્કાલિક અને સંકલિત કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે, અને તબીબી સહાય અને રાહત સહાય સ્થળ પર પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મારી સંવેદના અને પ્રાર્થના વિમાનમાં સવાર તમામ લોકો અને તેમના પરિવારો સાથે છે."