હવે રાજકોટમાં ઈ-મેમો દ્વારા જાહેરમાં ગંદકી કરનારને દંડીત કરવામા આવશે:બંચ્છાનિધી પાની

New Update
હવે રાજકોટમાં ઈ-મેમો દ્વારા જાહેરમાં ગંદકી કરનારને દંડીત કરવામા આવશે:બંચ્છાનિધી પાની

તાજેતરમા જ અમદાવાદના એક નાગરીકને જાહેરમા પાનની પિચકારી મારવા બદલ ઈ-મેમો આપવામા આવ્યો હતો. જે બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પણ જાહેરાત કરવામા આવી છે કે જાહેર સ્થળોએ ગંદકી કરનાર અને રોડ રસ્તા પર બાઈક કે કાર ચલાવતા સમયે પાનની પિચકારી કે ગંદકી કરનારને ઈ મેમો દ્વારા દંડીત કરવામા આવશે.

મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમા ઓફલાઈન સિસ્ટમ દ્વારા જાહેરમા ગંદકી કરનારને દંડીત કરવામા આવતા હતા. તો સાથે જ અત્યાર સુધીમા 3લાખ રૂપિયાનો દંડ જાહેરમા ગંદકી કરનારને ફટકારવામા આવ્યો છે. ત્યારે આગામી દિવસોમા રોડ રસ્તા પર ગંદકી કરનારને ઈ મેમો દ્વારા પણ દંડ ફટકારવાની કાર્યવાહી કરવામા આવશે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં BJPના ધરાસભ્યોના ખાતામાં રૂપિયા જમા થયા હોવાના કોંગ્રેસના આક્ષેપ,પોલીસની તપાસ સામે કર્યા સવાલ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડ મામલો

  • કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ

  • કોંગ્રેસે યોજી પ્રેસ કોન્ફરન્સ

  • ભાજપ પર કરાયા પ્રહાર

  • પોલીસની તપાસ સામે સવાલ ઉભા કરાયા

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે.

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાય  રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ એજન્સીઓએ કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલા નિવેદન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપના જ નેતાઓને સંડોવણીના આક્ષેપ કર્યા હતા ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા આપ્યા છે એ નેતાઓના નામનું લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઇ તપાસની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.