મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ, શિવસેનાના 11 ધારાસભ્યોના સુરતમાં ધામા

સૂત્રોનું કહેવું છે કે શિવસેનાના મંત્રી અને મોટા નેતા એકનાથ શિંદે સહિત 11 ધારાસભ્ય સુરત આવ્યા છે અને હોટલમાં રોકાયા છે.

New Update

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે શિવસેનાના 10થી વધારે ધારાસભ્ય હાલ ગુજરાતમાં પહોંચ્યા છે. તમામ લોકોને સુરતની એક જાણીતી હોટલમાં રાખવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે શિવસેનાના મંત્રી અને મોટા નેતા એકનાથ શિંદે સહિત 11 ધારાસભ્ય સુરત આવ્યા છે અને હોટલમાં રોકાયા છે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

શિવસેના નેતા એકનાથ શિંદે પાર્ટીથી નારાજ છે તેવી માહિતી સામે આવી રહી છે શિવસેનાના 11 જેટલા ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં કોઈને પણ જવા દેવાની મંજૂરી નથી. તમામ ધારાસભ્યો મોડી રાત્રે જ અહીં પહોંચ્યા હોવાના અહેવાલ છે. તમામ ધારાસભ્યો ડુમસ રોડ પર આવેલી મેરિયટ હોટલમાં બંધ છે. પોલીસ હાલ કોઈ પણ વ્યક્તિને બેરિકેડ થી અંદર જવા દેતી નથી. એવી ચર્ચા છે કે મોડી રાતથી અહીં બેઠકનો દોર ચાલી રહ્યો છે.

તમામ ધારાસભ્યો ગુજરાતના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.એકનાથ શિંદે શિવસેનાના મોટા નેતા છે. મહારાષ્ટ્ર રાજનીતિમાં તેમની સારી પકડ છે. તેઓ સારા રણનીતિકાર છે. તેમને વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી માનવામાં આવે છે. જોકે, છેલ્લા થોડા દિવસોથી તેઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે

Read the Next Article

સુરત : કર્મનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ યજ્ઞોપવિત કરી ધારણ

સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

New Update
  • રક્ષાબંધન ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ

  • કર્મનાથ મહાદેવ ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ

  • શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી વિધિ

  • બ્રાહ્મણોએ નવી યજ્ઞોપવિત કરી ધારણ

  • ભાઈ બહેનના અતૂટ પ્રેમના પર્વની ઉજવણી

સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.

શ્રાવણ માસની પૂનમના પવિત્ર દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણ સમાજ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા'શ્રાવણી ઉપાકર્મવિધિનું આયોજન કરવામાં આવે છેજેમાં તેઓ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે. આ વિધિને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શુદ્ધિપ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે.

સુરતમાં આ પવિત્ર અવસરે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા. ત્યાં શ્રાવણી ઉપાકર્મ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોના પાઠ સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી હતી.આ પ્રસંગે વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિકતા અને પવિત્રતાનો અનુભવ થયો હતો.

આ ઉપરાંત રક્ષાબંધનના પર્વ પર બહેનો તેમના ભાઈઓના કલાઈ પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્યસુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છેજ્યારે ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર માત્ર ભાઈ-બહેનના સંબંધને જ નહીંપરંતુ સામાજિક અને ધાર્મિક મહત્વને પણ ઉજાગર કરે છે.