ઝઘડિયાના બોરીદ્રા ગામે થયેલ મારામારીમાં ધારોલીના યુવાનના મોત પ્રકરણમાં 4 ઝડપાયા 

New Update
ઝઘડિયાના બોરીદ્રા ગામે થયેલ મારામારીમાં ધારોલીના યુવાનના મોત પ્રકરણમાં 4 ઝડપાયા 

ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે બે દિવસ પૂર્વે ધારોલી ગામના ફૈઝ કુરેશીને બોરીદ્રા ગામની યુવતી સાથેના પ્રેમસંબંધની અદાવતે ગામના કેટલાક યુવકોએ માર મારતા તેને ગંભીર પહોંચતા તેનું સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, આ મામલામાં ઝઘડિયા પોલીસે ગણતરીના કલાકોમાં 4 જેટલા આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના ધારોલી ગામનો ફૈઝ સુલતાન કુરેશી બાઈક પર તેના મિત્ર સાથે ભરૂચથી પરત આવતો હતો. અને તે ગોવાલી થી બોરીદ્રા જતો હતો. દરમ્યાન બોરીદ્રા ગામની શાળા પાસે તેને બોરીદ્રાના કેટલાક યુવાનોએ તેને અટકાવ્યો હતો, ફૈઝ કુરેશીને થોડા સમય અગાઉ બોરીદ્રા ગામની આદિવાસી યુવતી સાથે પ્રેમસંબંધ હતો તેની અદાવત રાખી બોરીદ્રાના યુવાનોએ ફૈઝ કુરેશીને માર મારતા ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સુરતની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ઝઘડિયા પોલીસે બોરીદ્રા ગામના અજય વસાવા, વિનય વસાવા, વિકાશ વસાવા, દિનેશ વસાવા, અક્ષય વસાવા વિરુદ્ધ ફરિયાદ દર્જ કરી તપાસ હાથ ધરતા પોલીસે અજય વસાવા, વિનીત વસાવા,દિનેશ વસાવા અને અક્ષય વસાવાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.