અંકલેશ્વર : હરિયાણાની મેવાતી ગેંગે કરી હતી ATMની ચોરી, ગેંગનો મદદગાર કેસરોલ નજીકથી ઝબ્બે

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નવજીવન હોટલ પાસેથી તસ્કરો આખેઆખું એટીએમ ઉઠાવી ગયાં હતાં

New Update

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નવજીવન હોટલ પાસેથી તસ્કરો આખેઆખું એટીએમ ઉઠાવી ગયાં હતાં. આ ગુનામાં હરિયાણાની મેવાતી ગેંગની સંડોવણી બહાર આવી છે. ગેંગને મદદગારી કરનારા એક આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચે કેસરોલ નજીક આવેલાં રાજસ્થાની ઢાબા પરથી દબોચી લીધો છે..

Advertisment
" max-width="100%" class="video-element note-video-clip" height="360">

અંકલેશ્વર : હરિયાણાની મેવાતી ગેંગે કરી હતી ATMની ચોરી, ગેંગનો મદદગાર કેસરોલ નજીકથી ઝબ્બેબે દિવસ પહેલાં અંકલેશ્વરની નવજીવન હોટલ પાસે આવેલાં એટીએમ મશીનની ચોરીની ઘટના બની હતી. આસપાસના સીસીટીવી ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં જેમાં તસ્કરો આખેઆખું એટીએમ ઉઠાવીને લઇ જતાં જોવા મળ્યાં હતાં. એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ તપાસમાં જોતરાઇ હતી જેમાં આ ગુનામાં સંડોવાયેલો એક ઇસમ ભરૂચથી દહેજ જવાના રોડ પર કેસરોલ પાસેના રાજસ્થાની ઢાબા પર છે જેથી પોલીસે છાપો મારી સલીમ હનીફ મેવાતીને ઝડપી પાડયો હતો. સલીમની પુછપરછમાં આખી ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેની વિગતો બહાર આવી છે. હરિયાણાના મેવાતી ગેંગે પ્રથમ ચોરી કરવા માટે જોલવા ગામેથી બોલેરો પીકઅપવાનની ચોરી કરી હતી. 14મી તારીખે તેઓ સુરતના ઓલપાડ નજીક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી. ત્યાંથી તેઓ ફરી રાજસ્થાની ઢાબા ખાતે આવી બીજા દિવસે ભરૂચ અને અંકલેશ્વરમાં એટીએમની રેકી કરી હતી. 15મીની રાત્રિએ તેઓ નવજીવન હોટલ પાસે આવેલાં એટીએમને નિશાન બનાવ્યું હતું અને ગેસકટરથી આખું એટીએમ કાપીને લઇ ગયાં હતાં.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયેલો આરોપી સલીમ મેવાતી છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી કેસરોલ પાસે આવેલાં રાજસ્થાની ઢાબા પાસે મિકેનીકનું કામ કરતો હતો. તે ભરૂચ અને અંકલેશ્વરની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે. થોડા સમય પહેલાં તેની મુલાકાત આરોપીઓ સાથે થઇ હતી અને બાદમાં આરોપીઓ તેમના વતનમાં જતાં રહયાં હતાં. એકાદ સપ્તાહ પહેલાં આરોપીઓ ફરી કેસરોલ ખાતે આવ્યાં હતાં અને ત્યાં એટીએમ તોડવાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. આરોપીઓએ માસ્ટર કીની મદદથી જોલવા ગામેથી બોલેરો પીકઅપવાનની ચોરી કરી હતી...

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment