અંકલેશ્વર : હરિયાણાની મેવાતી ગેંગે કરી હતી ATMની ચોરી, ગેંગનો મદદગાર કેસરોલ નજીકથી ઝબ્બે

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નવજીવન હોટલ પાસેથી તસ્કરો આખેઆખું એટીએમ ઉઠાવી ગયાં હતાં

New Update

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નવજીવન હોટલ પાસેથી તસ્કરો આખેઆખું એટીએમ ઉઠાવી ગયાં હતાં. આ ગુનામાં હરિયાણાની મેવાતી ગેંગની સંડોવણી બહાર આવી છે. ગેંગને મદદગારી કરનારા એક આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચે કેસરોલ નજીક આવેલાં રાજસ્થાની ઢાબા પરથી દબોચી લીધો છે..

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

અંકલેશ્વર : હરિયાણાની મેવાતી ગેંગે કરી હતી ATMની ચોરી, ગેંગનો મદદગાર કેસરોલ નજીકથી ઝબ્બેબે દિવસ પહેલાં અંકલેશ્વરની નવજીવન હોટલ પાસે આવેલાં એટીએમ મશીનની ચોરીની ઘટના બની હતી. આસપાસના સીસીટીવી ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં જેમાં તસ્કરો આખેઆખું એટીએમ ઉઠાવીને લઇ જતાં જોવા મળ્યાં હતાં. એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ તપાસમાં જોતરાઇ હતી જેમાં આ ગુનામાં સંડોવાયેલો એક ઇસમ ભરૂચથી દહેજ જવાના રોડ પર કેસરોલ પાસેના રાજસ્થાની ઢાબા પર છે જેથી પોલીસે છાપો મારી સલીમ હનીફ મેવાતીને ઝડપી પાડયો હતો. સલીમની પુછપરછમાં આખી ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેની વિગતો બહાર આવી છે. હરિયાણાના મેવાતી ગેંગે પ્રથમ ચોરી કરવા માટે જોલવા ગામેથી બોલેરો પીકઅપવાનની ચોરી કરી હતી. 14મી તારીખે તેઓ સુરતના ઓલપાડ નજીક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી. ત્યાંથી તેઓ ફરી રાજસ્થાની ઢાબા ખાતે આવી બીજા દિવસે ભરૂચ અને અંકલેશ્વરમાં એટીએમની રેકી કરી હતી. 15મીની રાત્રિએ તેઓ નવજીવન હોટલ પાસે આવેલાં એટીએમને નિશાન બનાવ્યું હતું અને ગેસકટરથી આખું એટીએમ કાપીને લઇ ગયાં હતાં.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયેલો આરોપી સલીમ મેવાતી છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી કેસરોલ પાસે આવેલાં રાજસ્થાની ઢાબા પાસે મિકેનીકનું કામ કરતો હતો. તે ભરૂચ અને અંકલેશ્વરની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે. થોડા સમય પહેલાં તેની મુલાકાત આરોપીઓ સાથે થઇ હતી અને બાદમાં આરોપીઓ તેમના વતનમાં જતાં રહયાં હતાં. એકાદ સપ્તાહ પહેલાં આરોપીઓ ફરી કેસરોલ ખાતે આવ્યાં હતાં અને ત્યાં એટીએમ તોડવાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. આરોપીઓએ માસ્ટર કીની મદદથી જોલવા ગામેથી બોલેરો પીકઅપવાનની ચોરી કરી હતી...

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.