અમદવાદ : ચાંદલોડિયા વિસ્તારમાં પત્રકાર પર હિચકારો હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદમાં આજકાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે

New Update

અમદાવાદમાં આજકાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ફરી એકવાર પત્રકાર પર હુમલાની ઘટના સામે આવી છે. અમદાવાદ ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી દિનેશ કલાલ પર અમુક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભરત સુખી અને તેના માણસો દ્વારા આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે સોલા પોલીસે આ તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરી તેમને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ ચાંદલોડિયા ખાતે સાંજના સુમારે એક પત્રકાર પર 10થી 12 અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પત્રકાર દિનેશ કલાલને તેમના નિવાસ સ્થાનેથી છેતરી બહાર બોલાવી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલો કોઈ અંગત અદાવતમાં કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલો કરનાર ચાંદલોડિયાનો કુખ્યાત બુટલેગર ભરત સુખી અને તેના માણસો દ્વારા કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વાર જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી દિનેશ કલાલને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ બાબતને લઈને પત્રકાર એકતા સંઘ દ્વારા અમદાવાદ પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવશે, ત્યારે હાલ તો સોલા પોલીસે ભરત સુખી સહિત 10થી 12 લોકો સામે ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.