મહીસાગર : એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કરી પ્રેમીકાની હત્યા, હત્યારો પ્રેમી ઝડપાયો...

દુધેલા ગામે પ્રેમીએ પ્રેમિકાની ચપ્પુના ધા મારી હત્યા નિપજાવી છે, ત્યારે ચકચારી હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

New Update

મહીસાગર જિલ્લાના દુધેલા ગામે પ્રેમીએ પ્રેમિકાની ચપ્પુના ધા મારી હત્યા નિપજાવી છે, ત્યારે ચકચારી હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલા દુધેલા ગામે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ પ્રેમી શૈલેષ પગીએ પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુના ધા મારી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે નાયબ જિલ્લા પોલીસવડા અને ક્રાઇમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ બન્ને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતા. જોકે, યુવતીના એક વર્ષ અગાઉ અન્ય જગ્યાએ લગ્ન થયા હતા, બાદમાં તેણીને પ્રેમ સંબંધ મંજુર ન હતો.

આ સાથે જ તે પોતાના લગ્નજીવનમાં ખુશ હતી, પરંતુ પ્રેમ સંબંધની જાણ તેણીના પતિ અને પરિવારજનો થતાં બન્ને વચ્ચે ઝઘડો અને તકરાર ચાલવા લાગી હતી. ત્યારબાદ પતિ-પત્નીના છૂટા છેડા થયા હતા. છૂટા છેડા બાદ શૈલેષ પગી દ્વારા વારંવાર પ્રેમિકા પાસે પ્રેમ સબંધની ખોટી રીતે માંગણી કરવામાં આવતી હતી. પરંતુ યુવતીનું લગ્ન જીવન પ્રેમ સંબંધમાં બગડ્યું હોવાથી તેણીને પ્રેમ સંબંધ કદાપિ મંજુર ન હતો, ત્યારે આખરે પ્રેમીએ એક તરફી પ્રેમમાં પાગલ બનીને પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. આ સાથે જ હત્યારા પ્રેમીએ પણ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસના હાથે આરોપી પ્રેમી ઝડપાઇ ગયો હતો.

Read the Next Article

“નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” : બનાસકાંઠા-પાલનપુરની 2 વિદ્યાર્થિનીએ સહાયનો લાભ પ્રાપ્ત કર્યો...

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીઓએ સરકારની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ મળતી સહાયનો લાભ પ્રાપ્ત કર્યો છે.

New Update
  • વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની ઉત્તમ યોજનાનો અમલ

  • વિદ્યાર્થીઓને મળશે ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ

  • રાજ્યમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી

  • પાલનપુરની 2 વિદ્યાર્થિનીએ સહાયનો લાભ પ્રાપ્ત કર્યો

  • બન્ને વિદ્યાર્થીનીએ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીઓએ સરકારની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ મળતી સહાયનો લાભ પ્રાપ્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથેરાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ અને ઉત્તમ કારકિર્દીની તકો મળી રહે તે માટે વર્ષ 2024-25ના ગુજરાત બજેટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સુદૃઢીકરણ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ પૈકીરાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી બનાવવામાં આવી છે.

આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસમાં વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષે રૂ. 10 હજાર સહાય ચૂકવવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ફીપુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે કુલ રૂ. 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છેત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હિના અને વીણાએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ પ્રાપ્ત કર્યો છે. તો ચાલો કનેક્ટ ગુજરાતના સથવારે જાણીએ તેમના પ્રતિભાવો...

Latest Stories