મહીસાગર : એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કરી પ્રેમીકાની હત્યા, હત્યારો પ્રેમી ઝડપાયો...

દુધેલા ગામે પ્રેમીએ પ્રેમિકાની ચપ્પુના ધા મારી હત્યા નિપજાવી છે, ત્યારે ચકચારી હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

New Update

મહીસાગર જિલ્લાના દુધેલા ગામે પ્રેમીએ પ્રેમિકાની ચપ્પુના ધા મારી હત્યા નિપજાવી છે, ત્યારે ચકચારી હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Advertisment

મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલા દુધેલા ગામે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ પ્રેમી શૈલેષ પગીએ પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુના ધા મારી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે નાયબ જિલ્લા પોલીસવડા અને ક્રાઇમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ બન્ને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતા. જોકે, યુવતીના એક વર્ષ અગાઉ અન્ય જગ્યાએ લગ્ન થયા હતા, બાદમાં તેણીને પ્રેમ સંબંધ મંજુર ન હતો.

આ સાથે જ તે પોતાના લગ્નજીવનમાં ખુશ હતી, પરંતુ પ્રેમ સંબંધની જાણ તેણીના પતિ અને પરિવારજનો થતાં બન્ને વચ્ચે ઝઘડો અને તકરાર ચાલવા લાગી હતી. ત્યારબાદ પતિ-પત્નીના છૂટા છેડા થયા હતા. છૂટા છેડા બાદ શૈલેષ પગી દ્વારા વારંવાર પ્રેમિકા પાસે પ્રેમ સબંધની ખોટી રીતે માંગણી કરવામાં આવતી હતી. પરંતુ યુવતીનું લગ્ન જીવન પ્રેમ સંબંધમાં બગડ્યું હોવાથી તેણીને પ્રેમ સંબંધ કદાપિ મંજુર ન હતો, ત્યારે આખરે પ્રેમીએ એક તરફી પ્રેમમાં પાગલ બનીને પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. આ સાથે જ હત્યારા પ્રેમીએ પણ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસના હાથે આરોપી પ્રેમી ઝડપાઇ ગયો હતો.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

Advertisment

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.

Advertisment
Latest Stories