ગાંધીનગર: ગુજરાત સરકારનું રૂ. 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજુ, શિક્ષણ વિભાગને સૌથી વધુ નાંણા ફાળવાયા

ગુજરાત સરકારનું આજરોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું

New Update

ગુજરાત સરકારનું આજરોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું

કોરોના સમયે પણ રાજ્ય સરકારે બે વખત પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રે અનેકગણો ખર્ચ થયો હોવા છતાં સરકારે પ્રજા પર કરવેરાનો બોજ લાદ્યો નહોતો. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બેજટ પર આજે સૌ કોઈની નજર હતી. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. અમૃતકાળનું બજેટ ગુજરાતના ગ્રોથનું એન્જિન 5 પિલર્સ પર આધારિત છે. તેમાં પણ માત્ર 3 સેક્ટરમાં અધધ.85 હજાર કરોડની ફાળવણી કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, અંબાજી, ધરોઈ ડેમ, ગીર અભયારણ્ય, દ્વારકા શિવરાજપુર બીચ એમ 5 પ્રવાસન સ્થળોને વિકસાવવા 5 વર્ષમાં 8000 કરોડનો ખર્ચ કરાશે.આ બજેટમાં નવા કોઇ કરવેરો નહીં તેમજ જૂના કરવેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. દરેક વર્ગની અપેક્ષા સાકાર કરનારુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ છે.આ બજેટ યુવાનો મહિલાઓ, આદિવાસી સમાજ, પ્રવાસન અને રોજગાર વધે તે રીતનું બજેટ રજૂ કરાયુ છે. આ બજેટ વિકસીત ગુજરાતને વધુ વેંગવતું બનાવશે અને જનતાની અપેક્ષાઓ પરિપુર્ણ કરવામાં બજેટ મદદરૂપ નીવડશે. રાજયના અરવલ્લી,છોટાઉદેપુર,મહિસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થપાશે તેમજ અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Read the Next Article

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

New Update
  • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર

  • ડેમમાં 53 ટકાથી વધુનો પાણી ઉપલબ્ધ

  • 207 જળાશયોમાં 44 ટકાથી વધુ જળ સંગ્રહ

  • રાજ્યમાં પાણીની અછત નહી સર્જાય તેવો દાવો

  • નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે 

ગુજરાતમાં ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો હોવાના કારણે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છેજ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઇ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કેતારીખ 10 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81  ટકા જળ સંગ્રહ હતો. તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહદક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકાસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી  બાવળીયા તેમજ  રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં  સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનનલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે.

Latest Stories