ખેડા : નાયકા ગામે ગૌચરની જમીનમાં ઘાસચારા પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

New Update

ગુજરાત રાજ્ય સરકારની મનરેગા યોજના અંગેની નવચેતના અન્‍વયે આજે ખેડા તાલુકાના નાયકા ગામે ઘાસચારા પ્રોજેકટનો અમલ કરાયો હતો. આ કામ મનરેગા યોજના અન્‍વયે થઇ રહયું છે. જેથી કોરોનાની મહામારીમાં જયારે નાગરિકોને રોજગારીની તકલીફ પડિ રહિ છે તે આ યોજના અન્‍વયે ગામમાં જ રોજગારી મળશે.

ગ્રામજનોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે સાથે સાથે ગામમાં જ સામાજીક વનીકરણ થવાથી ગામની હરીયાળીમાં વધારો થશે. કોરોનામાં શુધ્ધ ઓકિસજનની તકલીક શહેરીજનોને પડતી હતી. જે આ વનીકરણના માધ્યમથી વાતાવરણમાં ઓક્સિજનનું લેવલ વધશે. વનીકરણ થવાથી ગામની જમીનનું ઘોવાણ પણ અટકશે. આ જિલ્‍લામાં આ ગામની પસંદગી થઇ છે ત્યારે સૌ ગ્રામવાસીઓએ આ યોજનામાં જોડાઇને ઉત્તમ અને નમૂનારૂપ વનીકરણનો દાખલો જિલ્‍લામાં બેસાડવાનો છે. જેમાંથી પ્રેરણા લઇ જિલ્‍લાના અન્‍ય ગામોમાં પણ આ કામગીરીને અમલી બનાવી શકાય.

આ ગામ ખાતે ઘાસચારા પ્રોજેકટ-૧ અન્‍વયે રૂ.૪,૯૫,૪૩૧/-, ઘાસચારા પ્રોજેકટ-૨ અન્‍વયે રૂા.૪,૯૭,૪૩૬/ અને સામાજીક વનીકરણ યોજાના અન્‍વયે રૂા.૪,૯૭,૬૧૧/- રૂપીયા મળી કુલ રૂા.૧૪,૯૦,૪૭૮/-ની વહીવટી રકમનો ખર્ચ થશે. આપણા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે પણ આ વાતને મહત્‍વ આપી વૃક્ષારોપણની કામગીરીને અવિરત ચાલુ રાખી છે. તેઓશ્રીએ ખેડૂતોને તેમના ખેતરના શેઢા ઉપર ફળાઉ વૃક્ષો વાવવાની હિમાયત કરી હતી.


મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, છોડમાં રણછોડના દર્શન કરતા આપણા ખેડૂત મિત્રો માટે આ ગજરાજ ઘાસની પધ્ધતિ નવી હશે. તેનો મહત્તમ ઉપયોગ કરી આપણા ગામને આદર્શ વનરાજી પુરી પાડીએ. તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, નાયકા ગામના ત્રણ હેકટર ગૌચરની જમીનમાં આ ઘાસનું વાવેતર કરવામાં આવશે. આ ઘાસ સામાન્‍ય રીતે ઝડપી ઉગે છે તેમજ તે અંદાજે ૧૮ થી ૨૦ ફુટ જેટલું ઉંચુ થતુ હોય છે.

આ ઉપરાંત પશુઓને આ ઘાસ ખુબ જ અનુકુળ આવે છે તેઓને આ ઘાસ ભાવે છે તેમજ આ ઘાસના કારણે દુધાળા પશુઓ વધુ દુધ તેમજ આ દુધમાં વધુ ફેટ હોવાથી પશુપાલકોને વધુ આર્થિક લાભ થતો હોય છે. આ ઘાસ ઘર આંગણે થતુ હોવાથી ઘાસચારોનો ખર્ચ પણ ઓછો થાય છે. જો ગ્રામ પંચાયત આ ઘાસ ટોકન રૂપે વેચીને પશુપાલકોને આપે તો જે તે ગ્રામ પંચાયતને ત્રણ વર્ષ સુધી દર વર્ષે અંદાજે ૫૫થી ૬૦ લાખ જેટલી આવક થવાનો અંદાજ છે.

માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, નાયકા ગામમાં આ પ્રોજેકટ મળવાથી આ ગામની ઉન્‍નતિના દ્વારા ખુલશે તેમજ ગ્રામ પંચાયતની આર્થિક સધ્ધરતા પણ વધશે. જિલ્‍લા વિકાસ અધિકારીએ જણાવ્‍યું હતું કે, જિલ્‍લાના દરેક તાલુકામાં આ રીતના તાલુકાને અનુકુળ જમીન અને આબોહવા મુજબ વનરાજી વધારવા માટેના કાર્યક્રમો યોજાશે. જેથી જિલ્‍લાની વનરાજીમાં વધારો થાય. તેઓશ્રીએ મનુષ્‍ય જીવન, પશુ જીવન અને પર્યાવરણ માટે વૃક્ષોનું મહત્‍વ સમજાવી વૃક્ષ ઉછેર માટે જતનથી કામ કરવા જણાવ્‍યું હતુ.

તાલુકા વિકાસ અધિકારીએ આ કામ માટે નાયકા ગામની મહત્‍વતા સમજાવી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્‍તે નાયકા ગામની ગૌચરની જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્‍લા ગ્રામ વિકાસ અધિકારીના નિયામક ઝાલા, પ્રાથમીક શાળાના આચાર્ય, પ્રા.શા.નો સ્‍ટાફ, સરપંચ, તાલુકા પંચાયત સદસ્‍યઓ, આજુબાજુના ગામોના સરપંચઓ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.