ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

New Update

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વરસાદની અછતને કારણે પાણીની અછત પણ સર્જાઈ હતી. ખાસ કરીને આ મુદ્દે ખેડૂતોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે.

Advertisment

ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને હાલ નર્મદા ડેમની જળસપાટીમાં 12 કલાકમાં 21 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટીમાં હાલ 116.6 મીટર જોવા મળી રહી છે. ડેમમાં હાલ પાણીની આવક 8993 ક્યૂસેક જોવા મળી છે. સાથેજ સંગ્રહિત પાણીનો જથ્થો પણ 4408.09 MCM જેટલો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

ગીર સોમનાથના ગીરગઢડામાં 2 ઈંચ, સૂત્રાપાડા અને તાલાળામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. સોમનાથના ગીરગઢડામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વેરાવળ, કોડિનાર અને ઉના તાલુકામાં સારા વરસાદથી પાકને જીવતદાન મળ્યું છે. તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ પડતા ગામમાં નદી વહેતી થઈ છે. છેલ્લાં ત્રણ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. તો ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે.

Advertisment
Latest Stories