સુરત: રાંદેરના રતનેશ્વર મહાદેવ સ્ટ્રીટમાં વીજ કંપનીએ ખાનગી જગ્યામાં ગેરકાયદેસર રીતે વીજ પોલ ઉભો કરી દીધો હોવાના આક્ષેપ

વિકસતા જતા સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અનેક બેદરકારી બહાર આવે છે ત્યારે વધુ એક બેદરકારી જોવા મળી છે.

New Update

વિકસતા જતા સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અનેક બેદરકારી બહાર આવે છે ત્યારે વધુ એક બેદરકારી જોવા મળી છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રતનેશ્વર મહાદેવ સ્ટ્રીટમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે વીજ પોલ ઉભો કરી દેવામાં આવ્યો છે. સામાન્યત:વીજ પોલ લોખંડનો હોય છે પરંતુ લાકડાનો પોલ ઉભો કરી તેના પર વીજ તાર જોડવામાં આવ્યા છે. વીજ કંપનીની કામગીરીના કારણે આ પ્રકારનું જોખમી કાર્ય કરવામાં આવ્યું છે.

Advertisment

આ અંગે સ્થાનિક રહીશ નીરજ નાયકે જણાવ્યુ હતું કે રતનેશ્વર મહાદેવ મંદિરના બાજુના ભાગે ખાનગી જગ્યામાં ગેરકાયદેસર રીતે વીજ પોલ લગાવવામાં આવ્યો છે. આ સ્થળની નજીક જ રહેણાંક વિસ્તાર આવેલો છે ત્યારે કોઈ અનિરછનીય બનાવ બને તો એનું જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. આ બાબતે વીજ કંપનીના અધિકારીઓએ કોઈ પરવાનગી નથી લીધી અને રજૂઆત કરવામાં આવી તો કોઈ હકારાત્મક પ્રત્યુત્તર નથી મળી રહ્યો ત્યારે વહેલી તકે આ વીજ પોલ દૂર કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

સુરત : સચિન જીઆઇડીસીમાં સગીર પુત્રએ ચપ્પુના ઘા મારીને પિતાની નિર્મમ હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update
  • સચિનGIDCમાં હત્યાનો બનાવ

  • પાલી ગામમાં સગીર પુત્રએ પિતાની કરી હત્યા

  • પુત્રએ ચપ્પુ વડે પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

  • પિતાના અન્ય મહિલા સાથે આડાસંબંધની હતી શંકા

  • પોલીસે હત્યારા સગીરની કરી અટકાયત

Advertisment

સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

સુરતના સચિન જીઆઇડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડ અને તેમના આશરે 17 વર્ષીય પુત્ર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો,અને આ બાબત ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી.અને પિતા-પુત્ર વચ્ચે સર્જાયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેના કારણે ઉશ્કેરાયેલા સગીર પુત્રએ જન્મદાતા પિતા પર જ ચપ્પુથી હુમલો કરી દીધો હતો,અને પિતા ગંભીર રીતે ઘાયલ થઇને લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા.સર્જાયેલી ઘટનામાં ચેતન રાઠોડનું કરૂણ મોત નીપજ્યું હતું.પિતાના આડાસંબંધની શંકાએ પુત્રે સગા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.સચિન પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.અને પોલીસે સગીર પુત્રની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories