સુરત : નિષ્ઠુર પિતાએ જ બાળકને તાપી નદીમાં ફેંકી દીધો હતો, સેલ્ફી લેતાં પડયાની વાત ઉપજાવી કાઢી

સેલ્ફી લેવાની લાયમાં પુત્ર પાળી પરથી નદીમાં પટકાઈને મોતને ભેટ્યો હોવાનું જુઠાણું ચલાવનાર પિતાનું પાપ છાપરે ચઢીને પોકાર્યું છે.

New Update

સુરતના મકકાઇ પુલ પરથી 12 વર્ષીય બાળક નદીમાં પડી જવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળક સેલ્ફી લેતી વેળા નદીમાં પડયો ન હતો પણ તેના પિતાએ જ તેને નદીમાં ફેંકી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.....

Advertisment W3.CSS

સુરતના મક્કાઈપુલની પાળી પરથી 12 વર્ષીય પુત્રને બેસાડી સેલ્ફી લેવાની લાયમાં પુત્ર પાળી પરથી નદીમાં પટકાઈને મોતને ભેટ્યો હોવાનું જુઠાણું ચલાવનાર પિતાનું પાપ છાપરે ચઢીને પોકાર્યું છે. મૃતક બાળકના પિતાએ માસૂમ પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. ત્રણ વર્ષથી પિયર રહેતી પત્નીનું જેની સાથે કથિત રીતે અફેર હતું તેને અબ્બા કહેનાર પોતાનો પુત્ર નહિ હોવાના ગુસ્સામાં તેને નદીમાં ધક્કો મારી ફેંકી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રવિવારે બપોરે જાકીર શેખ નામનો 12 વર્ષીય કિશોર નદીમાં પડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કોસાડ આવાસમાં રહેતાં સઇદ ઇલ્યાસ શેખએ પોલીસને જણાવ્યું હતું કે તે તેના પુત્રને તાપી નદી પાસે સેલ્ફી લેવાના ઇરાદે લાવ્યો હતો. તેને પાળી પર બેસાડીને ફોટો પાડે એ પહેલાં જ સંતુલન નહિ રહેતાં પુત્ર પાણીમાં પડી ગયાનું જણાવ્યું હતું. પ્રથમ નજરે સામાન્ય લાગતો આ કિસ્સો જોકે પોલીસને ગળે ઊતર્યો નહોતો. પીઆઇ એચ.એમ.ચૌહાણની કુનેહથી આખરે હત્યારા પિતાની પોલ ખુલી હતી.

હત્યારો પિતા ચરસ અને ગાંજાનો બંધાણી સઇદના લગ્ન મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાની એક યુવતી સાથે થયા હતા. બંનેને લગ્નજીવન દરમિયાન બે પુત્ર થયા હતા. સઇદ ચરસી અને ગંજેરી હોવાના કારણે વારંવાર પત્નીની મારઝૂડ કરતો હતો, જેથી તે નાના પુત્ર જાકીરને લઇને તે ત્રણ વર્ષથી તેના પિયર રહેવા જતી રહી હતી. ત્યાં તેને તેનો કથિત પ્રેમી મળવા આવતો હતો, જેને જાકીર અબ્બા કહેતો હોઈ, ખુન્નસ રાખી તેને પાણીમાં ફેંકી મારી નાખ્યો હોવાની કબૂલાત આરોપીએ કરી છે.

મૃતક ઝાકરી તેની માતા સાથે રહેતો હતો. સઇદ ઝાકીરને પોતાના પુત્ર તરીકે માનતો ન હતો. દોઢ વર્ષ પહેલાં પણ જાકીરને ધાબા પરથી નીચે ફેંકી દીધો હતો, પરંતુ ધાબા પરથી નીચે પટકાતી વખતે નીચે સાડીના પોટલા પર પડતાં બચી ગયો હતો, જેથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો જ ન હતો.

Read the Next Article

સુરતની રેતીનો ઉપયોગ કરી ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું સી.આર.પાટીલનું “સેન્ડ પોટ્રેટ”

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું પણ સેન્ડ પોટ્રેટ બનાવ્યું હતું

New Update
  • ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્નીએ બનાવ્યું ચિત્ર

  • કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરાયું

  • સુરતની રેતી વડે એક અઠવાડીયામાં બનાવ્યું સેન્ડ પોટ્રેટ

  • આગેવાનોએ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કર્યું

  • અગાઉ ચિત્રકારે અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા 

ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકકુન્ની દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરમાં વસતા કેરળ સમાજ દ્વારા આ સેન્ડ પોટ્રેટ સી.આર.પાટીલને અર્પણ કરવામાં આવ્યું હતું.

બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીંબાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ દુબઈના શેખ સહિત વિશ્વની અનેક વિભૂતિઓના સેન્ડ પોટ્રેટ બનાવ્યા છે.

બાબુ એડકકુન્ની સુરતની રેતીનો ઉપયોગ કરી કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કર્યું છે. જે માટે એક અઠવાડિયા જેટલો લાગ્યો હતોત્યારે કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલને સેન્ડ પોટ્રેટ અર્પણ કરાતા તેઓએ કેરળ સમાજનો આભાર માન્યો હતો.