સુરત : નિષ્ઠુર પિતાએ જ બાળકને તાપી નદીમાં ફેંકી દીધો હતો, સેલ્ફી લેતાં પડયાની વાત ઉપજાવી કાઢી

સેલ્ફી લેવાની લાયમાં પુત્ર પાળી પરથી નદીમાં પટકાઈને મોતને ભેટ્યો હોવાનું જુઠાણું ચલાવનાર પિતાનું પાપ છાપરે ચઢીને પોકાર્યું છે.

New Update

સુરતના મકકાઇ પુલ પરથી 12 વર્ષીય બાળક નદીમાં પડી જવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળક સેલ્ફી લેતી વેળા નદીમાં પડયો ન હતો પણ તેના પિતાએ જ તેને નદીમાં ફેંકી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.....

Advertisment

સુરતના મક્કાઈપુલની પાળી પરથી 12 વર્ષીય પુત્રને બેસાડી સેલ્ફી લેવાની લાયમાં પુત્ર પાળી પરથી નદીમાં પટકાઈને મોતને ભેટ્યો હોવાનું જુઠાણું ચલાવનાર પિતાનું પાપ છાપરે ચઢીને પોકાર્યું છે. મૃતક બાળકના પિતાએ માસૂમ પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. ત્રણ વર્ષથી પિયર રહેતી પત્નીનું જેની સાથે કથિત રીતે અફેર હતું તેને અબ્બા કહેનાર પોતાનો પુત્ર નહિ હોવાના ગુસ્સામાં તેને નદીમાં ધક્કો મારી ફેંકી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રવિવારે બપોરે જાકીર શેખ નામનો 12 વર્ષીય કિશોર નદીમાં પડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કોસાડ આવાસમાં રહેતાં સઇદ ઇલ્યાસ શેખએ પોલીસને જણાવ્યું હતું કે તે તેના પુત્રને તાપી નદી પાસે સેલ્ફી લેવાના ઇરાદે લાવ્યો હતો. તેને પાળી પર બેસાડીને ફોટો પાડે એ પહેલાં જ સંતુલન નહિ રહેતાં પુત્ર પાણીમાં પડી ગયાનું જણાવ્યું હતું. પ્રથમ નજરે સામાન્ય લાગતો આ કિસ્સો જોકે પોલીસને ગળે ઊતર્યો નહોતો. પીઆઇ એચ.એમ.ચૌહાણની કુનેહથી આખરે હત્યારા પિતાની પોલ ખુલી હતી.

હત્યારો પિતા ચરસ અને ગાંજાનો બંધાણી સઇદના લગ્ન મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાની એક યુવતી સાથે થયા હતા. બંનેને લગ્નજીવન દરમિયાન બે પુત્ર થયા હતા. સઇદ ચરસી અને ગંજેરી હોવાના કારણે વારંવાર પત્નીની મારઝૂડ કરતો હતો, જેથી તે નાના પુત્ર જાકીરને લઇને તે ત્રણ વર્ષથી તેના પિયર રહેવા જતી રહી હતી. ત્યાં તેને તેનો કથિત પ્રેમી મળવા આવતો હતો, જેને જાકીર અબ્બા કહેતો હોઈ, ખુન્નસ રાખી તેને પાણીમાં ફેંકી મારી નાખ્યો હોવાની કબૂલાત આરોપીએ કરી છે.

મૃતક ઝાકરી તેની માતા સાથે રહેતો હતો. સઇદ ઝાકીરને પોતાના પુત્ર તરીકે માનતો ન હતો. દોઢ વર્ષ પહેલાં પણ જાકીરને ધાબા પરથી નીચે ફેંકી દીધો હતો, પરંતુ ધાબા પરથી નીચે પટકાતી વખતે નીચે સાડીના પોટલા પર પડતાં બચી ગયો હતો, જેથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો જ ન હતો.

Advertisment