વડોદરા : ભાવ વધારાસામે કરજણ તાલુકા કોંગ્રેસનો વિરોધ, ધરણાંપ્રદર્શન યોજાયું...

વડોદરા જિલ્લાના કરજણ ખાતે પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયું હતું.

New Update

વડોદરા જિલ્લાના કરજણ ખાતે પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયું હતું. દેશ સહિત રાજ્યમાં દિનપ્રતિદિન મોંઘવારીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરી પેટ્રોલ-ડીઝલ અને ગેસની કિંમતોમાં રોજબરોજ વધારો નોંધાતા સામાન્ય વ્યક્તિ માટે જીવન જીવવું મુશ્કેલી સમાન બન્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે "મહંગાઈ મુક્ત ભારત અભિયાન"ની શરૂઆત કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો છે. સમગ્ર રાજ્યના વિવિધ શહેરોમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદશનો થઇ રહ્યા છે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણ ખાતે રવિવારે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સહિતની વસ્તુઓ પર વધતા ભાવ વધારા તેમજ મોંઘવારી સામે મોરચો માંડ્યો હતો. કરજણ ખાતે ધરણા પ્રદર્શન યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોંઘવારી વિરુદ્ધ હાથમાં બેનરો અને પોસ્ટરો લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારે સૂત્રોચ્ચાર કરી વાતવરણ ગજવી મુક્યું હતું. આયોજિત ધરણા પ્રદર્શન કાર્યકમમાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠન મંત્રી અભિષેક ઉપાધ્યાય, ભાસ્કર ભટ્ટ, મહેબુબ મલેક, નીલા ઉપાધ્યાય અને લતા સોની સહિત કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.