નવસારીમાં 5 લાખ લોકો વચ્ચે PM મોદીનું સંબોધન, ગુજરાતને ગૌરવ અપાવી રહી છે ડબલ એન્જિનની સરકાર

નવસારીમાં રૂ. 3050 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે આયોજિત વિશેષ ગુજરાત ગૌરવ અભિયાનમાં તેમણે જણાવ્યું હતું કે

New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના નવસારીમાં રૂ. 3050 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે આયોજિત વિશેષ ગુજરાત ગૌરવ અભિયાનમાં તેમણે જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર ગુજરાતનું ગૌરવ વધારી રહી છે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં થયેલો ઝડપી વિકાસ એ ગુજરાતનું ગૌરવ છે. દરેક વ્યક્તિનો વિકાસ છે અને આ વિકાસમાંથી એક નવી આકાંક્ષા જન્મે છે. ડબલ એન્જિનની સરકાર નિષ્ઠાપૂર્વક આ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવી રહી છે.પીએમે કહ્યું કે 'આજે મને 3,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની તક મળી. આ તમામ પ્રોજેક્ટ સુરત, તાપી, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કરોડો મિત્રોનું જીવન સરળ બનાવશે. ગુજરાતની ડબલ એન્જિન સરકાર શત ટકા સશક્તિકરણની ઝુંબેશમાં પૂરજોશમાં લાગેલી છે. હું ભૂપેન્દ્રભાઈ, સીઆર પાટીલ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લાં 8 વર્ષમાં સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરીને અમારી સરકારે ગરીબોના કલ્યાણ પર, ગરીબોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા પર સૌથી વધુ ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે આઠ વર્ષ પહેલા તમે મને રાષ્ટ્ર સેવાની મારી ભૂમિકાને વિસ્તારવા માટે ઘણા આશીર્વાદ સાથે અને ઘણી અપેક્ષાઓ સાથે દિલ્હી મોકલ્યો હતો. છેલ્લા 8 વર્ષમાં અમે કરોડો નવા લોકોને, ઘણા નવા ક્ષેત્રોને વિકાસના સપના અને આકાંક્ષાઓ સાથે જોડવામાં સફળ થયા છીએ.

Read the Next Article

છોટાઉદેપુર : રેશનિંગ દુકાનમાં અનાજની હેરાફેરીનો પર્દાફાશ,ગ્રામજનોએ રેડ કરીને ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો

છોટાઉદેપુર જિલ્લાના રેશનિંગ દુકાનમાં અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે,ગ્રામજનોએ રેડ કરી ઘઉં-ચોખાનો જથ્થો પકડ્યો છે.બનાવને લઇ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે

New Update
  • રેશનિંગના અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

  • અનાજનો જથ્થો હેરાફેરીનો પર્દાફાશ

  • સ્થાનિક જાગૃત નાગરિકોએ કૌભાંડ ઝડપી પાડ્યું

  • નાયબ મામલતદારે કરી કૌભાંડી સામે કાર્યવાહી

  • દુકાનદારજિ.પં મહિલા સભ્યના પતિ

છોટાઉદેપુર જિલ્લાના રેશનિંગ દુકાનમાં અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે,ગ્રામજનોએ રેડ કરી ઘઉં-ચોખાનો જથ્થો પકડ્યો છે.બનાવને લઇ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.આ ઘટનામાં જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિની જ આ દુકાન હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગપુરા ગામમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક અને  માંકણી જિલ્લા પંચાયત બેઠકના સદસ્યના પતિ હસમુખ છોટાભાઈ બારિયા દ્વારા રાત્રે 10:30 વાગ્યે અનાજની હેરાફેરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોની સતર્કતાને કારણે આ ગેરરીતિ ઝડપાઈ ગઈ હતી. અને બોડેલી પોલીસ તેમજ વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. નાયબ મામલતદારે ઘટનાસ્થળે પહોંચીને ઘઉંચોખા અને ખાંડનો જથ્થો કબજે કરીને સીલ કર્યો છે,બાંગપુરા ગામના ગ્રામજનોને રાત્રે 10:30 વાગ્યે રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરી થઈ રહી હોવાની શંકા જાગી હતી. તેમને તાત્કાલિક દુકાન પર પહોંચીને તપાસ કરી હતીજ્યાં ઘઉંચોખા અને ખાંડનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે ખસેડવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.

ગ્રામજનોએ આ ઘટનાની અંગે બોડેલી પોલીસ અને મામલતદારને જાણ કરી હતી. રાત્રે 11:15 કલાકે બોડેલીના નાયબ મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. નાયબ મામલતદારે ગ્રામજનો દ્વારા પકડાયેલા અનાજનો જથ્થોજેમાં ઘઉંચોખા અને ખાંડનો સમાવેશ થાય છેતેને કબજે કરીને દુકાનના એક રૂમમાં સીલ કરી દીધો હતો.વહીવટી તંત્રે આ મામલે રોજકામ નોંધી લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છેજેમાં દુકાનના રેકોર્ડવેચાણની વિગતો અને અનાજના વિતરણની ચકાસણીનો સમાવેશ થાય છે.

Latest Stories