અંકલેશ્વરઃ GIDC વિસ્તારમાં ખોદકામ દરમિયાન બની ગેસલિકેજની ઘટના, મચી દોડધામ

New Update
અંકલેશ્વરઃ GIDC વિસ્તારમાં ખોદકામ દરમિયાન બની ગેસલિકેજની ઘટના, મચી દોડધામ

નોટીફાઈડ વિભાગ દ્વારા જોસીબીથી ખોદકામ કરવામાં આવતાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નોટીફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી ખોદકામની કામગીરી વેળાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે ગેસ લિકેજની ઘટના બનતાં દોડધામ મચી હતી. જોકે ગુજરાત ગેસ કંપનીના ટેક્નિશિયનો દ્વારા સ્થળ ઉપર દોડી આવી તાત્કાલિક અસરથી ગેસ પુરવઠો બંધ કરી રિપેરની કામગીરી હાથ ધરતાં મોટી જાનહાની થતાં અટકી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી નોરિસ કંપની પાસેથી પસાર થતી કેનાલની બાજુમાં નોટિફાઇડ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જીસીબી વડે ચાલતી ખોદકામની કામગીરી દરમ્યાન અચાનક ગેસ કંપનીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે ગેસ લીકેજની ઘટના સામે આવી હતી.

ગેસ લીકેજ થતાં ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવતાં ગેસ કંપનીનાં ટેક્નિશિયનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. તેમણે ગેસ પુરવઠો બંધ કરી રીપેરીંગ કામ હાથ ધર્યું હતું. સદનશીબે ઘટના દરમ્યાન કોઈ જાન હની નોંધાઈ નહોતી અને મોટી દુર્ઘટના થતાં ટળી હતી.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.